PM મોદીએ કેવડિયામાં આરોગ્ય વનનું કર્યુ લોકાર્પણ, બે દિવસમાં કુલ 17 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે
Live TV
-
વડાપ્રધાનશ્રી આજથી ગુજરાતની દ્વિદિવસીય મૂલાકાતે સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪પમી જન્મજ્યંતિએ કેવડીયામાં સરદાર પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ભાવાંજલિ આપશે-રાષ્ટ્રીય એકતા પરેડનું નિરીક્ષણ કરશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી-કેવડીયાના સંકલિત વિકાસ માટેના વિવિધ ૧૭ પ્રોજેકટસના લોકાર્પણ- ૪ નવા પ્રોજેકટના શિલાન્યાસ પ્રધાનમંત્રીશ્રીના હસ્તે થશે.
ગાંધીનગરથી હેલિકોપ્ટર મારફતે પીએમ મોદી સીધા કેવડિયા પહોંચ્યા છે. જ્યાં તેઓ 17 જેટલા વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાના છે. ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરમાં તેઓનું કેવડિયા આગમન થયું હતું. જ્યાં અધિકારીઓ દ્વારા તેમનુ સ્વાગત કરાયું હતુ. કેવડિયામાં પીએમ મોદી વિકાસ કામોના વિવિધ 17 જેટલા પ્રોજેકટસના લોકાર્પણ તેમજ નવા 4 પ્રોજેક્ટ્સના શિલાન્યાસ કરશે.
