દેશમાં કોરોના દર્દીઓનો રીકવરી રેટ 70 ટકાને પાર
Live TV
-
ગંભીર દર્દીઓના સફળ ક્લિનિકલ મેનેજમેન્ટને લીધે દેશમાં મૃત્યુદરને બે ટકા નીચે લાવવામાં મળી સફળતા: આરોગ્ય મંત્રાલય
કન્ટેનમેન્ટ વ્યૂહ ટેસ્ટિંગ અને કોરોનાના ગંભીર દર્દીઓના સફળ ક્લિનિકલ મેનેજમેન્ટને કારણે દેશમાં કોરોના દર્દીનો રીકવરી રેટ વધીને 70 ટકા નજીક લાવવામાં મદદ મળી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આ સઘન પ્રયાસોને કારણે મૃત્યુ દરને પણ બે ટકાની નીચે પહોંચાડવામાં સફળતા મળી છે. મંત્રાલયે જણાવ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં 47, 746 દર્દી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
દેશમાં નોંધાયેલા કુલ પોઝીટીવ કેસ પૈકી માત્ર 28.21 ટકા જ સક્રીય કેસ રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના પ્રવક્તાએ 10 રાજ્યો સાથેની સમીક્ષા બેઠક પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે મહત્વના મુદા તરફ ધ્યાન દોર્યું તેની પણ સમજણ આપી હતી.
