દેશમાં કોવિડ સક્રિય કેસની સંખ્યા ઘટીને એક લાખ 51 હજાર સુધી પહોંચી
Live TV
-
દેશમાં કોવિડની સ્થિતિ અંગે આરોગ્ય મંત્રાલયે પત્રકાર પરિષદ યોજી હતી. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, કોવિડ સામેની લડતમાં દેશ સતત જીત તરફ આગળ વધી રહ્યો છે. દેશમાં કોવિડ સક્રિય કેસની સંખ્યા ઘટીને એક લાખ 51 હજાર સુધી પહોંચી ચુકી છે. દેશભરમાં કોવિડ વેક્સિનેશન પ્રક્રીયા ચાલી રહી છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યારસુધીમાં 53 લાખ લોકોને રસી લાગી ચુકી છે. દર્દીને રસીકરણનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે હવે એક લિન્ક પણ મોકલવામાં આવશે... આરોગ્ય મંત્રાલયે વધુમાં ઉમેર્યું હતું કે, 5 ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં 27 હજાર 862 લોકોએ કોરોનાની રસી મુકાવી હતી... જ્યારે ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે 53 હજાર 959 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે 22 દેશોએ ભારત પાસેથી કોવિડની રસીની માગણી કરી છે.
