દેશમાં ઘૂસણખોરો માટે કોઈ સ્થાન નથી: કેન્દ્રીય ગૃહમંત્રી
Live TV
-
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ કોલકત્તાની મુલાકાતે હતા. તેમણે કોલકત્તામાં નેતાજી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે એન. આર.સી અને નાગરીકત્વ સુધારા વિધેયકને મુદ્દે જનજાગૃતિ ફેલાવવા રેલીને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળમાં પરિવર્તનનો પવન ફૂંકાયો હતો અને આજે પશ્ચિમ બંગાળ ભાજપામય બની રહ્યું છે. એન.આર.સી અને નાગરીકત્વ સુધારા વિધેયકનો વિરોધ કરવા બદલ તેમણે રાજ્યના મુખ્યમંત્રી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે પ્રત્યેક ગેરકાયદે ઘુસણખોરને દેશમાંથી પાછા મોકલવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દેશમાં ઘુસણખોરો માટે કોઈ સ્થાન નથી
