દેશમાં મોબાઇલ બંધ થવાના ખતરાના અહેવાલનું સરકાર દ્વારા કરાયું ખંડન
Live TV
-
દેશમાં 50 કરોડથી વધુ મોબાઇલ બંધ થવાનો ખતરો ઊભો થયો હોવાના અહેવાલનું સરકાર દ્વારા ખંડન કરવામાં આવ્યું છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડ નંબર આપવા આજે ચુકાદો આપ્યો છે. ત્યારબાદ આ અંગે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ અને યુ.આઈ.ડી.એ. એ આ અંગે ઊભો થયેલ સંદેહને દૂર કર્યો છે. મંત્રી રવિશંકર પ્રસાદે સ્પષ્ટ કર્યું છે કે જો તમે આધારકાર્ડ આપીને સીમકાર્ડ ખરીદયું છે તો આપનું કનેક્શન કપાશે નહીં. પરંતુ જો તમે સીમ કાર્ડને આધારથી દૂર કરાવવા ઇચ્છો છો તો તમારે નવેસરથી KYC આપવું પડશે. પરંતુ તેમાં તમારૂં કનેક્શન કપાશે નહીં.
