નાણા મંત્રાલયે જી.એસ.ટી. રિટર્ન દાખલ કરવા માટે વધારી સમય અવધિ
Live TV
-
વેપારીઓ તથા ઉદ્યોગપતિઓએ ચિંતા વ્યક્ત કરતા રાહત આપવાના ઉદેશ્યથી આ તારીખો લંબાવવામાં આવી છે
નાણા મંત્રાલયે સપ્ટેમ્બર મહિના માટે જી.એસ.ટી. રિર્ટન દાખલ કરવા માટેની સમય અવધિ વધારવાની જાહેરાત કરી હતી. આ અવધિ પાંચ દિવસ લંબાવાઇને 25 ઓક્ટોબર કરવામાં આવી છે. સાથે જ જૂલાઈ 2017થી માર્ચ 2018 સુધી ઇનપુટ ચેક્સ ક્રેડિટના દાવાની તારીખ પણ 25 ઓકટોબર કરવામાં આવી છે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે વેપારીઓ તથા ઉદ્યોગપતિઓએ 20 ઓક્ટોબર સુધીના સમય માટે ચિંતા વ્યક્ત કરી હતી. આથી વેપારીઓને રાહત આપવાના ઉદેશ્યથી આ તારીખો લંબાવવામાં આવી છે.
