પ.બંગાળ પ્રવાસના બીજા દિવસે ગૃહમંત્રીએ દક્ષિણેશ્વર કાલી મંદિરના કર્યાં દર્શન
Live TV
-
ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના બે દિવસીય પ્રવાસ પર છે. તેમણે રાજ્યની મમતા બેનર્જી સરકાર પર નિશાન સાધતા કહ્યુ કે મમતા સરકારનો અંત નજીક આવી ગયો છે.
તેમણે બાંકુરામાં 'સામાજિક સમૂહ સંવાદ' થકી ભાજપના કાર્યકરો સાથે ચર્ચા કરી હતી અને રાજ્યમાં ભાજપને ૨/૩ બહુમત પ્રાપ્ત કરવાનુ લક્ષ્ય આપ્યુ છે.
ગૃહમંત્રી એ રાજ્યમાં ભાજપને એક તક આપવા રાજ્યની જનતાને અપીલ કરી છે. આ ઉપરાંત તેમણે પોલિસ કસ્ટડીમાં માર્યા ગયેલ ભાજપના કાર્યકર્તાઓના પરિવારજનોની પણ મુલાકાત કરી હતી. તેમણે રાજ્યના ચતુર્થી ગામમાં આદિવાસી પરિવારના ત્યાં ભોજન કર્યુ હતું. બીજા દિવસની યાત્રા દરમ્યાન ગૃહમંત્રીએ દક્ષિણેશ્વર કાલી મંદિરના દર્શન કર્યા હતા અને મહાકાળીની આરતી પણ ઉતારી હતી.
