પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર સાંજે વાયુ પ્રદૂષણ અંગે લોકો સાથે કરશે વાતચીત
Live TV
-
દેશમાં વધી રહેલા વાયુ પ્રદુષણને કંટ્રોલ કરવા સરકારે નક્કી કરેલા પગલાંઓને સામાન્ય માણસ સુધી સમજવા માટે આજે પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર સોશિયલ મીડિયાના માધ્યમથી આજે સાંજે 5 વાગે લોકો જોડે વાત કરશે.
દેશમાં વધી રહેલા વાયુ પ્રદૂષણ અંગે પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર આજે સાંજે પ વાગ્યે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી લોકો સાથે વાતચીત કરશે. ટ્વીટ કરતા પ્રકાશ જાવડેકરે ટ્વિટમાં કહ્યું કે, તે જાતે લોકોને વાતચીત કરીને સમજાવશે કે નરેન્દ્ર મોદી સરકારે હવા પ્રદૂષણ સામે લડવા માટે કાયા પગા લીધા છે. આજે સાંજે પ્રકાશ જાવડેકર સોશિઅલ મીડિયાના આધારથી લોકોને પ્રદુષણને ઓછું કરવા કાયા પગલાં લેવા જોઈએ તે જણાવશે. પ્રકાશ જાવડેકરે એ પણ કહ્યું કે, લોકો પર્યાવરણ અને પ્રદુષણને લગતા તેમના પ્રશ્નો અગાઉથી મોકલી શકે છે અને આ અંગેના તેમના કોઈ સૂચનો હોય તો એ પણ આપી શકે છે.
