બિહાર વિધાનસભા ચુંટણીના બીજા ચરણમાં ઉમેદવારોએ ભરેલા ફોર્મની આજે ચકાસણી થશે
Live TV
-
બિહાર વિધાનસભા ચુંટણીના બીજા ચરણમા ઉમેદવારોએ ભરેલા ફોર્મની આજે ચકાસણી થશે. 94 વિધાનસભા સિટો માટે ફોર્મ ભરવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો. બિહાર વિધાનસભા ચુંટણીમા 19 ઓક્ટોબર સુધી નામ પરત ખેંચી શકાશે તથા બીજા ચરણનુ મતદાન 3 નવેમ્બરે થશે.
મુખ્ય ચુંટણી અધિકારીના જણાવ્યા મુજબ અત્યાર સુધી 1062 ઉમેદવારીપત્રો ભરાયા છે. જયારે 71 વિધાનસભા સિટો માટે પ્રચાર આગળ વધી રહ્યો છે. બિહાર ભાજપા ચુનાવ પ્રભારી દેવેન્દ્ર ફડણવીશે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 ઓક્ટોબરથી બિહારમા 12 રેલીઓ સંબોધશે. તેઓ સાસારામમાં પ્રથમ, બીજી ગયા તથા ત્રીજી રેલી ભાગલપુરમાં કરશે. તેમની રેલીઓમાં નિતીશકુમારની સાથે એન.ડી.એ.ના તમામ ઉમેદવારો મંચ પર હાજર રહેશે. બિજી તરફ આજે બિહારના પટનામા આજે મહાગઠબંધનના ઉમેદવારો ઘોષણાપત્ર જાહેર કરશે.
