પશ્ચિમ બંગાળના હુગલીમાં પ્રધાનમંત્રી મોદીએ જનસભાને સંબોધી, રેલ પરિયોજનાનુ કર્યુ ઉદ્ઘાટન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે આઝાદી પહેલા પશ્ચિમ બંગાળનો દબદબો દરેક ક્ષેત્રમાં આગવો હતો.પરંતુ હાલમાં મા અને માટીની વાત કરનારા લોકો બંગાળના વિકાસ સામે અવરોધ બનીને ઉભા છે.
પશ્ચિમ બંગાળના હુગલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધી હતી અને જણાવ્યું હતું કે એક સમયે હુગલી ભારતમાં ઉદ્યોગોનું હબ હતું. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળનો ઉત્તમ વિકાસ કરવો એ કેન્દ્ર સરકારની પ્રાથમિકતા છે. આ વખતે પશ્ચિમ બંગાળમાં કમળ ખીલે તે જરૂરી છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેલ પરિયોજનાનું ઉદ્ધાટન કર્યું હતું. અને કોલકાતામાં નોઆપાડાથી દક્ષિણેશ્વર સુધીની મેટ્રો રેલ પરિયોજનાનું ઉદ્ધાટન પણ કર્યું હતું. ચાર કિલોમીટર કરતાં લાંબી રેલવે લાઇનના નિર્માણમાં ૪૬૪ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે પરિવહનની સેવાઓ જેટવી વિકસશે, આત્મનિર્ભરતામાં તેટલી જ મદદ મળશે.
