પ્રધાનમંત્રીએ અંદામાન નિકોબારના ભાજપના કાર્યકરો સાથે કર્યો સંવાદ
Live TV
-
અંદામાન નિકોબારમાં ઓપ્ટિકલ ફાયબર શરૂ થતાં વિકાસનો નવો ઈતિહાસ લખાશે: PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંદામાન નિકોબારના ભાજપના કાર્યકર્તાઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો. આ દરમિયાન પાર્ટી અધ્યક્ષ જે. પી. નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીનું સ્વાગત કરતા તેમણે કાર્યકરોને જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી વ્યસ્ત રહેવા છતાં પણ સંગઠનને સમય આપે છે. તેમણે કહ્યું કે, અંદામાન નિકોબારમાં ઓપ્ટિકલ ફાયબર શરૂ થતાં વિકાસનો નવો ઈતિહાસ લખાશે. આ સાથે પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે, આ પરીક્ષાના સમયમાં તમે સારી રીતે પાસ થયા છો. મુશ્કેલીના આ સમયમાં આપણે તમામને મદદ કરવાની છે. સેવા અને સમર્પણને આગળ વધારવાના છે. પ્રધાનમંત્રીએ તમામ કાર્યકર્તાઓને દો ગજ કી દૂરી અને માસ્ક હૈ જરૂરીના સંકલ્પ સાથે કામ કરતા રહેવા જણાવ્યું હતું.
