પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડનાં ચમોલીમાં હિમસ્ખલનનાં પીડિતો માટે સહાયને મંજૂરી આપી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડનાં ચમોલીમાં ગ્લેશિયર ભંગને લીધે થયેલા દુ:ખદ હિમસ્ખલનને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની આર્થિક સહાયને મંજૂરી આપી છે. તેમણે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને રૂ. 50,000ની રકમ પણ મંજૂર કરી છે. પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું છે કે, "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડનાં ચમોલીમાં ગ્લેશિયર ભંગને લીધે થયેલા દુ:ખદ હિમસ્ખલનને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોનાં પરિવારજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની આર્થિક સહાયને મંજૂરી આપી છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને રૂ. 50,000ની સહાયને મંજૂર કરી છે."
