પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગૂ થયાના એક મહિનામાં જ એક લાખ લોકોએ ઉઠાવ્યો લાભ
Live TV
-
અત્યાર સુધીમાં 14 હજારથી પણ વધુ હોસ્પિટલ, 32 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો આ યોજનાથી જોડાઇ ચૂક્યા છે
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગૂ થયાના એક મહિનાની અંદર જ એક લાખ લોકો તેનો લાભ ઉઠાવી શક્યા છે. એક લાખમો લાભાર્થી મધ્યપ્રદેશના રિવાનો છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી, જે.પી. નડ્ડાએ આ યોજના અંગે માહિતી આપતા જણાવ્યું કે અત્યાર સુધીમાં 14 હજારથી પણ વધુ હોસ્પિટલ આ યોજનાથી જોડાઇ ચૂકી છે. તો 32 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો આ યોજના સાથે જોડાયા છે. આ યોજનામાં સંપૂર્ણ કેશલેશ સારવારની સુવિધા છે તેથી આ યોજનાને સારો પ્રતિસાદ મળ્યો છે. આ યોજના અંગની કોઇપણ માહિતી જોઇતી હોય તો ટોલ ફ્રી નંબર 14555 પર વાત કરીને મેળવી શકાય છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ 50 કરોડ લોકોને વાર્ષિક પાંચ લાખનો વિમો મળે છે. આ યોજનાનો હેતુ વંચિત લોકોને શ્રેષ્ઠ આરોગ્ય સેવા પુરી પાડવોનો છે.
