પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ DDIIT અને નીતિ આયોગના વેબિનારમાં કર્યું સંબોધન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વીડનના પ્રધાનમંત્રી સ્ટીફન લોકવેન સાથે વર્ચુઅલ શીખર સંમેલનમાં ભાગ લીધો. વર્ષ 2015 બાદ બન્ને નેતાઓ વચ્ચે આ પાંચમી ચર્ચા કરવામાં આવી હતી. શીખર સંમેલનમાં બન્ને નેતાઓ દ્વિપક્ષીય સબંધોના વિવિધ પરિમાણો પર વિસ્તારથી ચર્ચા કરી હતી. બન્ને નેતાઓએ ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દા પર પણ વાત કરી હતી. ભારત અને સ્વીડન વચ્ચે લોકતંત્ર, સ્વતંત્રતા,બહુલવાદ, અને નિયમોને આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના વિવિધ મૂલ્યો પર આધારિત જીવન અને દોસ્તીનો સબંધ છે. બન્ને દેશો વચ્ચે વેપાર અને રોકાણ, નવાચાર વિજ્ઞાન અને પ્રૌદ્યોગીકી સાથે અનુસંધાન અને વિકાસના ક્ષેત્રોમાં ધનિષ્ટતા છે. સ્વીડનની લગભગ 250 કંપનીઓ ભારતમાં આરોગ્ય અને જીવન વિજ્ઞાન, વાહન ઉદ્યોગ, સ્વચ્છ ટેકનિક,રક્ષા,ભારે મશીનરી અને ઉપકરણ જેવા ક્ષેત્રોમાં કાર્યરત છે. ભારતની લગભગ 75 કંપનીઓ સ્વીડનમાં સક્રિય છે. બેઠકમાં બન્ને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સબંધોના ક્ષેત્રોમાં વિચાર વિમર્શ કરવામાં આવ્યા. અને કોવિડ બાદના સમયમાં સહયોગ વધારવા સહિત તમામ ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દા ઉપર વિચાર વિમર્શ કરાયા હતા.
