પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી રશિયાના બે દિવસના પ્રવાસે રવાના
Live TV
-
રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે ભારત-રશિયા શિખર બેઠકમાં લેશે ભાગ
પાંચમા પૂર્વીય આર્થિક મંચ ,ઈઈએફની બેઠકમાં ,ભાગ લેવા ,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ,આજે સાંજે રશિયા જવા રવાના થયા છે. બે દિવસના પ્રવાસમાં ,પ્રધાનમંત્રી રશિયા અને ભારત વચ્ચે ,બીજી શિખર બેઠકમાં ,સામેલ થશે. વિદેશ સચિવ ,વિજય ગોખલેએ જણાવ્યું હતું, કે, આ પ્રવાસ દરમિયાન ,તેલ અને ગેસના સંશોધનમાં ,દ્વિપક્ષીય સંબંધોને ,મજબૂત કરવા ,મુખ્ય એજન્ડા રહેશે. ભારત અને રશિયા ,પરંપરાગત રક્ષા અને સૈન્ય પરમાણુ ક્ષેત્રે સહયોગ વધારી /અર્થવ્યવસ્થાના નવા ક્ષેત્રો સાથે ,કામ કરવા ઇચ્છે છે. ગોખલેએ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીના પ્રવાસ દરમિયાન ,ઘણી સમજૂતી પર , હસ્તાક્ષર થવાની શક્યતા છે. વડા પ્રધાને રશિયા જવા રવાના થતા અગાઉ જણાવ્યું હતું કે ભારત અને રશિયાની મજબૂત ભાગીદારી બહુઆયામી વિશ્વને પ્રોત્સાહિત કરવાની ઈચ્છા દ્વારા પૂરક બને છે અને બંને દેશો પ્રાદેશિક અને બહુરાષ્ટ્રીય મંચ પર આ હેતુ સિદ્ધ કરવા પરસ્પર ગાઢ સહકાર આપે છે
