બૅન્કિંગ વ્યવસ્થાને મજબૂત બનાવવા મોદી મંત્રીમંડળનો નિર્ણય
Live TV
-
I.D.B.I. બૅન્કને સરકાર અને એલઆઈસી તરફથી મળશે રાહત.
આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં આજે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર અને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કેબિનેટ નિર્ણયોની જાણકારી આપતાં જણાવ્યું હતું કે, કેબિનેટે I.D.B.I. બેન્કના રીકેપીટલાઈઝેશન માટે નિર્ણય લીધો હતો. સરકાર અને LIC સંયુક્તપણે રૂપિયા નવ હજાર કરોડનું ભંડોળ પૂરૂં પાડશે. પેટ્રોલિયમમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મોદી સરકાર ખેડૂતોની આવક બમણી કરવા પ્રતિબદ્ધ હોવાનું જણાવતા ઈથનોલના સુધારેલા ભાવની જાહેરાત કરી હતી. શેરડી ઉદ્યોગ હવે પોતાનું ધ્યાન ઈથનોલ ઉત્પાદન તરફ આપે તેવો અનુરોધ કરતાં તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોને સબસિડી સીધી તેમના ખાતામાં ચૂકવવામાં આવશે
