પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે "મન કી બાત" કાર્યક્રમને સંબોધશે
Live TV
-
આકાશવાણી અને દૂરદર્શનની તમામ ચેનલ પર કાર્યક્રમનું પ્રસારણ થશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમ દ્વારા, દેશ વિદેશના લોકો સાથે, પોતાના વિચાર વ્યકત કરશે. આકાશવાણી અને દુરદર્શનની તમામ ચેનલ ઉપર પ્રસારીત થનાર આ કાર્યક્રમનું પ્રસારણ, સવારે 11 વાગે થશે. દિવાળી પર્વની ઉજવણી શરૂ થઈ ચૂકી છે. તે વચ્ચે પ્રધાનમંત્રી મન કી બાત કાર્યક્રમના માધ્યમથી સંવાદ કરવાના છે. પ્રધાનમંત્રીએ મન કી બાતના આ પહેલાંના સંસ્કરણમાં આતશબાજીના કારણે આગના બનાવ ના બને અને અન્ય નુકસાન ન થાય તે માટે સતર્કતા જાળવવા અનુરોધ કર્યો હતો
