પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 11.00 કલાકેઆકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે
Live TV
-
આ માસિક રેડિયો કાર્યક્રમની 106મી શ્રેણી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક ઉપર પ્રસારિત કરવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11.00 કલાકે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 106મી શ્રેણી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક ઉપર પ્રસારિત કરવામાં આવશે. આ કાર્યક્રમ આકાશવાણી, વેબસાઈટ અને ન્યૂઝ ઓન એઆઈઆર મોબાઈલ એપ ઉપર પણ ઉપલબ્ધ થશે. આકાશવાણી, દૂરદર્શન સમાચાર અને પ્રધાનમંત્રી કાર્યાલયની સાથે સાથે સૂચના અને પ્રસારણ મંત્રાલયની યુટ્યૂબ ચેનલ્સ પર પણ મન કી બાત કાર્યક્રમનું સીધું પ્રસારણ જોઈ શકાશે.
