પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 28મી ફેબ્રુઆરીને રવિવારે આકાશવાણી પરથી સવારે પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે. નાગરિકો આ કાર્યક્રમ માટે પોતાના વિચારો, સૂચનો નમો એપ,માય જી.ઓ.વી. મંચ ઉપરાંત ટોલ ફ્રી નંબર 1800-11-7800 ઉપર મોકલી શકે છે.સવારે હિન્દીમાં મન કી બાત રજૂ કરાયા બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ કરાશે.
મન કી બાતના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ રવિવારે રાત્રે આઠ વાગે જે તે ભાષાના આકાશવાણીના કેન્દ્રો પરથી કરાશે. આ કાર્યક્રમનું પ્રસારણ દૂરદર્શન તથા આકાશવાણીના બધા જ નેટવર્ક પરથી કરશે. તેમજ ન્યૂઝ ઓન એર વેબસાઇટ DD ન્યૂઝ પરથી પણ કરાશે.
