પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 અને 4 ફેબ્રુઆરીએ ઓડિશા અને આસામની મુલાકાત લેશે
Live TV
-
પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પ્રધાનમંત્રી 3 ફેબ્રુઆરીએ લગભગ 2 વાગ્યે ઓડિશાના સંબલપુરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન, 68 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક માળખાકીય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આ પછી પ્રધાનમંત્રી આસામની મુલાકાત લેશે.
પ્રધાનમંત્રી, 4 ફેબ્રુઆરીએ સવારે ગૌહાટીમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન 11 હજાર કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ઉર્જા ક્ષેત્રને પ્રોત્સાહિત કરવાના હેતુથી અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, રાષ્ટ્રને સમર્પિત, શિલાન્યાસ ઓડિશાના સંબલપુરમાં એક જાહેર કાર્યક્રમમાં કરવામાં આવશે.
