બિહાર: મુખ્યમંત્રી પદે નીતીશકુમારનો શપથ ગ્રહણ સમારોહ થશે ટૂંક સમયમાં શરુ
Live TV
-
બિહારમાં મુખ્યમંત્રી પદે નીતીશકુમારનો શપથ ગ્રહણ સમારોહ ટૂંક સમયમાં શરુ થશે. જનતાદળ યુનાઇટેડ અને ભાજપા ના ગઠબંધને બિહારમાં બહુમત મેળવી હરીફ આરજેડી -કોંગ્રેસના ગઠબંધનને મહાત આપી સ્પષ્ટ બહુમત હાંસલ કર્યો હતો. રવિવારે મળેલી ચૂંટાયેલા ઉમેદવારોની બેઠકમાં સર્વાનુમતે વિધાયક દળના નેતા તરીકે નીતીશકુમારની પસંદગી કરાઈ હતી. નીતીશકુમાર સાતમી વખત બિહારના મુખ્યમંત્રી પદે શપથ ગ્રહં કરવા જઈ રહયા છે. બિહારમાં પણ બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા થઇ શકે છે. ઉત્તરપ્રદેશમાં પણ બે નાયબ મુખ્યમંત્રી છે. શપથગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપા અધ્યક્ષ જે.પી. નડ્ડા ઉપસ્થિત રહેશે.
