બ્રિટનની કોર્ટે ભાગેડુ નિરવ મોદીને આપ્યો ઝટકો
Live TV
-
બ્રિટનની એક કોર્ટે ભાગેડુ હિરાના વેપારી નિરવ મોદી ની જામીન અરજી ત્રીજી વખત નામંજૂર કરી છે. નિરવ મોદી પંજાબ નેશનલ બેન્ક સાથે લગભગ બે અરબ ડોલરનું બેન્ક કૌભાંડ અને મની લોન્ડરીંગનો આરોપી છે. 48 વર્ષના નિરવ મોદી વેલ્સમિસ્ટાની સ્ટેટ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ હાજર થયો હતો. નિરવ મોદીના વકીલોએ જામીન રકમને વધારી બેગણી એટલે કે, 20 લાખ પાઉન્ડ કરવાની અરજી કરી હતી. સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, નિરવ લંડન સ્થિત તેના ફ્લેટમાં 24 કલાક કેદ રહેવા તૈયાર છે. અગાઉ ભારત તરફથી દલિલ કરતા કાઉન પ્રોસીક્યુશન સર્વિસે કહ્યું કે, નિરવ મોદીને જામીન ના આપવા જોઈએ. કારણ કે, બચાવ પક્ષે જે પુરાવા રજૂ કર્યા છે તેમાં હાલની પરિસ્થિતિઓમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી
