ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડાએ આજે પશ્ચિમ બંગાળમાં "લોક્ખો સોનાર બાંગ્લા ધોષણાપત્ર ક્રાઉડસોર્સીંગ"નો શુભારંભ કર્યો
Live TV
-
બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયનાં નિવાસસ્થાને અને સંગ્રહાલય જઈને તેઓને શ્રધ્ધાંજલિ અર્પીત કરશે
ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડા આજે પશ્ચિમ બંગાળનાં પ્રવાસે છે, જ્યાં તેમણે બંગાળમાં ચૂંટણી મેનિફેસ્ટો સંબંધી એક અભિયાનની શરૂઆત કરી. તેમણે કોલક્તામાં "લોક્ખો સોનાર બાંગ્લા ધોષણાપત્ર ક્રાઉડસોર્સીંગ" કાર્યક્રમનો શુભારંભ કર્યો અને રાષ્ટ્રગીત વંદે માતરમની રચના કરનારા બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયનાં નિવાસસ્થાને અને સંગ્રહાલય જઈને તેઓને શ્રધ્ધાંજલિ અર્પીત કરશે.
આ દરમિયાન જે.પી નડ્ડા બપોરનું ભોજન એક જુટમીલ મજૂરના ઘરે કરશે. તેઓ બેરકપુર સ્થિત આનંદપુરી ખેલર મઠ જશે જ્યાં કાલેવાડી મંદિરમાં પૂજા અર્ચના કરશે. ભાજપ અધ્યક્ષ પરિવર્તન યાત્રાની રેલીને પણ સંબોધિત કરશે. આ કાર્યક્રમો સિવાય જે.પી નડ્ડા શહિદ મંગલપાંડે સ્તંભ પર શ્રધ્ધાંજલિ અર્પીલ કરશે અને લોખ્ખો સોનાર બાંગ્લા બુધ્ધિજીવી વર્ગની એક બેઠકને પણ સંબોધશે.
