ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 46,253 કેસ, 53,357 દર્દી ડિસ્ચાર્જ
Live TV
-
ભારતે કોરોના મહામારી સામેની લડાઈમાં એક વધુ ઉપલબ્ધિ મેળવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે દેશમાં કોવિડ સંક્રમણથી સાજા થવાનો દર 92.09 ટકા સુધી થઇ ચુક્યો છે. છેલ્લા 24 કલાકમાં 46,253 કેસ નોંધાયા છે તે સાથે દેશમાં અત્યાર સુધીમાં કુલ 83,13,876 કોરોના કેસ નોંધાઈ ચુક્યા છે.
ભારતે કોરોના મહામારી સામેની લડાઈમાં એક વધુ ઉપલબ્ધિ મેળવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે દેશમાં કોવિડ સંક્રમણથી સાજા થવાનો દર 92.09 ટકા સુધી થઇ ચુક્યો છે. છેલ્લા 24 કલાકમાં 46,253 કેસ નોંધાયા છે તે સાથે દેશમાં અત્યાર સુધીમાં કુલ 83,13,876 કોરોના કેસ નોંધાઈ ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ કર્ણાટક અને મહારાષ્ટ્રમાં નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં 53,357 દર્દી સારવાર લઈને સાજા થયા હતા. અત્યાર સુધીમાં દેશમાં કુલ 76,56,478 થી વધુ સંક્રમિત લોકો સારવાર લઇને સાજા થઇ ચુક્યા છે. દેશમાં સક્રીય કેસની સંખ્યા 5,33,787 છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 514 લોકોના મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 1 ,23,611 પર પરહોંચ્યો છે. સરકારની ટેસ્ટ, ટ્રેસ એન્ડ ટ્રીટની રણનીતિને કારણે રીકવરી દર સતત ઉંચો જઇ રહ્યો છે અને મૃત્યુદર ઘટી રહ્યો છે. દેશમાં કોરોનાને કારણે થઇ રહેલા મૃત્યુનો દર 1.49 ટકા રહ્યો છે.
