ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના જૂઠ્ઠાણાનો પર્દાફાસ કર્યો
Live TV
-
ભારતે સોમવારે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના જૂઠ્ઠાણાનો પર્દાફાસ કર્યો છે. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના પાંચ જૂઠ્ઠાણાનો પર્દાફાસ કર્યો હતો. દાયકાઓથી પાકિસ્તાન ભારતના સીમા પારના આંતકવાદનો સામનો કરી રહ્યું હોવાના દાવાને ફગાવી દેતાં ભારતે જણાવ્યું હતું કે એક સો વાર જુઠ બોલવાથી સત્ય નથી બની જતું. ભારતે એમ પણ કહ્યું હતું કે અલ કાયદાને તેની જમીન પરથી ખતમ કરી દીધું હોવાનો પાકિસ્તાનનો દાવો પણ ખોટો છે. ભારતે જણાવ્યું કે પાકિસ્તાનના સ્થાયી સભ્યને તે હકીકતની જાણ નથી કે ઓસામા બિન લાદેન તેમની જ ભૂમિ પર છુપાયો હતો. પાકિસ્તાન દ્વારા પ્રાયોજીત ત્રાસવાદથી સમગ્ર વિશ્વ ત્રસ્ત છે. તેવામાં તેના દ્વારા ભારત પર ત્રાસવાદને પ્રોત્સાહન આપવાનો થઇ રહેલો હાસ્યાસ્પદ છે. ભારતે એમ પણ જણાવ્યું કે ભારતે જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં પાકિસ્તાને ભારતની આંતરિક બાબતમાં હસ્તક્ષેપ કર્યો છે. પાકિસ્તાન એવો દેશ છે કે જેમાં 1947 પછી લઘુમતી સમુદાયની સંખ્યા ખુબ ઘટી છે. પાકિસ્તાનમાં આયોજનબદ્ધ રીતે અલ્પસંખ્યકોનો સફાયો થાય છે.
