ભારત અને ઇટલીના રાષ્ટ્રીય અધ્યક્ષો વચ્ચે દ્વીપક્ષીય શિખર બેઠક, PM મોદીએ બેઠકમાં સંબોધન કર્યુ
Live TV
-
ભારત અને ઇટલીના રાષ્ટ્રીય અધ્યક્ષો વચ્ચે એક દ્વીપક્ષીય શિખર બેઠક યોજવામાં આવી હતી. આ શિખર બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરી હતી.
ભારત અને ઇટલીના રાષ્ટ્રીય અધ્યક્ષો વચ્ચે એક દ્વીપક્ષીય શિખર બેઠક યોજવામાં આવી હતી. આ શિખર બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરી હતી. સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના મહામારીને સંવેદના વ્યક્ત કરતા કહ્યુ હતુ, કે ભારત દ્વીપક્ષીય સંબંધોને લઇ કટીબધ્ધ છે. બંને દેશોના આર્થિક વિકાસ માટે ભારત હંમેશા આગળ રહેશે. ભારત અને ઇટલી વચ્ચેની આ બેઠકમાં ઉર્જાની સાથે કૃષિ,મિડિયા સહિત 15 ક્ષેત્રે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. આ બેઠકને લઇ વિદેશ મંત્રાલયના સયુંક્ત સચિવે જણાવ્યુ હતુ, કે રક્ષા ક્ષેત્રે પણ વાતચીત ચાલી રહી છે. પરંતુ આર્થિક ક્ષેત્રે વિકાસ કરવા માટે ભારત ઝડપી આગળ વધી રહ્યુ છે. બંને દેશો વચ્ચે આ સિવાય અન્ય ક્ષેત્રોમાં વિકાસ કરવા સમજૂતી થશે તેવી આશા વ્યક્ત કરી હતી.
