ભારત અને નેપાળ વચ્ચે કાઠમંડુમાં આજે વિકાસ પરિયોજના આધારીત બેઠક, બંને દેશો વચ્ચે છેલ્લા ચાર વર્ષમાં આ 8મી બેઠક
Live TV
-
ભારત અને નેપાળ વચ્ચે કાઠમંડુમાં આજે વિકાસ પરિયોજના આધારીત એક બેઠક યોજાઇ રહી છે. આ બેઠકમાં ભારતના રાજદુત વિનય મોહન ક્વાત્રા ભારત તરફથી નેતૃત્વ કરશે જ્યારે નેપાળ તરફથી વિદેશ સચિવ શંકરદાસ બૈરાગી નેપાળનું નેતૃત્વ કરશે. સપ્ટેમ્બર 2016માં નેપાળના તત્કાલીન પ્રધાનમંત્રી પુષ્પકમલ દહેલ દ્વારા ભારતનો પ્રવાસ કર્યા બાદ ભારત અને નેપાળમાં આર્થીક યોજનાના વિકાસને ઉત્તેજન આપવા 2016માં એક મીકેનીઝમ સ્થાપવામાં આવ્યું હતું. જે અનુસાર બન્ને દેશો વચ્ચે એકરૂપથી બેઠક યોજાતી રહે છે. નેપાળ -ભારતની છેલ્લા ચાર વર્ષમાં આ 8મી બેઠક હશે.
