ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થયા વચ્ચે 7 સમજુતી કરાર
Live TV
-
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દ્રિપક્ષીય બેઠક યોજાઈ હતી. દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખહસીના સાથે બંન્ને દેશોના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી હતી. બંન્ને દેશો વચ્ચે 7 સમજુતી કરાર કરવામાં આવ્યા હતા અને 3 પરિયોજનાઓનું ઉદ્ધાટન કરવામાં આવ્યુ હતું. જેમાં LPG, ઈમ્પોર્ટ, વોકેશનલ ટ્રેનિંગ, SOCIAL FACILITYનો સમાવેશ થાય છે. તો બીજી તરફ બાંગ્લાદેશના પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સુરક્ષા પર્યાવરણ સંસ્કૃતિ શિક્ષા અને સ્વાસ્થય જેવા ક્ષેત્રો વધુને વધું મજબુત બન્યા છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે બન્ને દેશો વચ્ચેના સંબંધો ગાઢ બનશે.
