મહાનગરી મુંબઈમાં ગ્રિડ ફેલ થતાં અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો
Live TV
-
માયાનગરી મુંબઈમાં ગ્રિડ ફેલ થવાને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ખાસ કરી મુંબઈ રીઝન એટલે કે મુંબઈ, થાણે, નવી મુંબઈ અને પનવેલ સહિતના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.વીજળી ક્યાં સુધી આવશે તે હાલ ચોક્કસ કહી શકાય તેમ નથી પરંતુ વીજ કંપનીઓએ કહ્યું છે કે. જલ્દી પુરવઠો ફરી રાબેતા મુજબ આવી જશે.બાંદ્રા, કોલાબા, માહિમ, MIDC, પાલઘર અને દહાનૂ વિસ્તારમાં છેલ્લા કેટલાક કલાકોથી લાઈટ નથી જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ગ્રિડ બંધ થવાના કારણે ઉપનગરીય ટ્રેન સેવા પર પણ માઠી અસર થઈ છે. ચર્ચગેટ અને વસઈ વચ્ચે પશ્વિમ રેલવેની લોકલ ટ્રેનની સેવાઓ ખોરવાઈ ગઈ છે તેમજ ટ્રાફિક સિગ્નલ સહિતની સુવિધામાં અવગડો ઉભી થઈ છે.
