મહારાષ્ટ્રના રાયગઢમાં બસ ખીણમાં પડતાં 12 લોકોના મોત
Live TV
-
મહારાષ્ટ્રમાં આજે એક દુર્ઘટના સર્જાઈ હતી. મહારાષ્ટ્રના રાયગઢમાં બસ ખીણમાં પડતાં 12 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. જ્યારે 25થી વધુ લોકોને ઈજા પહોચી છે. ઘટનાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી સાથે કરી વાતચીત કરી હતી તેમજ રાહત અને બચાવ કાર્યની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના પણ કરી હતી.
મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના રાયગઢમાં માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં એક બસ ખીણમાં પડતાં 12 લોકોના મોત થયા છે. જ્યારે 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી સાથે વાતચીત કરી છે અને રાહત અને બચાવ કાર્યની સમીક્ષા કરી છે. તેમજ ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરી છે. આ ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને તેમણે મૃતકોના પરિવારજનોને માટે 2-2 લાખ રૂપિયાની અને ઇજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયાની સહાય જાહેર કરી છે.
