માફિયા અતિક-અશરફના ત્રણેય શૂટર્સને CJM કોર્ટમાં કરાયા રજૂ, આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર
Live TV
-
પ્રયાગરાજ પોલીસ ત્રણેય આરોપીઓની પૂછપરછ કરશે.
માફિયા અતિક અહમદ અને અશરફ અહમદ હત્યા કેસમાં ત્રણેય આરોપીઓ સાથે પ્રયાગરાજ પોલીસ પૂછપરછ કરશે. આજે ત્રણેય આરોપીઓ સન્નીસિંહ, અરુણ મૌર્ય અને લવલેશ તિવારીને ઉત્તરપ્રદેશની પ્રયાગરાજ સીજીએમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્રણેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ પહેલા ત્રણેય શૂટર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખતા કોર્ટ પરિસરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, શનિવારે રાત્રે મીડિયાકર્મીઓ બનીને આવેલા ત્રણેય શખ્સે અતિક અને અશરફની ગોળી મારીને હત્યા કરી હતી. બાદમાં ત્રણેય આરોપીઓએ પોલીસને સરેન્ડર કર્યું હતું.
