યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી પ્રસંગે ચેન્નાઈમાં સંબોધન કર્યું
Live TV
-
માહિતી અને પ્રસારણ, યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આજે ચેન્નાઈની મુલાકાત લીધી. જ્યાં તેમણે આંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીમાં સંબોધન કર્યું હતુ. તેમણે સંબોધન કરતા જણાવ્યું હતુ કે, વિશ્વભરના યુવાનોમાં કોઈપણ દેશ અથવા ક્ષેત્રની દિશા અને ગતિશીલતાને બદલવાની ક્ષમતા છે. દેશની પ્રગતિમાં યુવાઓની મોટી ભાગીદારી છે.
અનુરાગ સિંહ ઠાકુરે કહ્યું કે યુવાઓ દેશનું વર્તમાન અને ભવિષ્ય છે. ભારત એ વિશ્વ કક્ષાએ યુવાઓનો દેશ છે. જેથી આપણી જવાબદારી અને ભૂમિકા વધી જાય છે.
