રક્ષામંત્રી રાજનાથસિંહે રક્ષા મંત્રાલયને દિવાળી પહેલા OROP ચુકવણીનો ત્રીજો હપ્તો જાહેર કરવાનો નિર્દેશ
Live TV
-
રક્ષામંત્રી રાજનાથસિંહે સંરક્ષણ મંત્રાલયને વન રેન્ક વન પેન્શનનો ત્રીજો હપ્તો જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે. આ નિર્ણયથી દિવાળી પહેલા સ્પર્શ સિસ્ટમ દ્વારા પેન્શન મેળવતા સંરક્ષણ પેન્શનરોને ફાયદો થશે.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાજનાથસિંહે જણાવ્યું હતું કે, બેંકો અને અન્ય એજન્સીઓને પણ તમામ સંરક્ષણ પેન્શનરો માટે આવું કરવા માટે નિર્દેશિત કરવામાં આવ્યા છે.
