રાજકીય પક્ષોના મુખ્ય નેતાઓ ચૂંટણીના પ્રચાર પ્રસારમાં વ્યસ્ત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશ સતના બાદ છત્તરપુર અને નીમચમાં પણ પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરશે. મધ્યપ્રદેશમાં અન્ય પાર્ટીના નેતાઓ પણ પ્રચારમાં લાગ્યા છે, જેમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પ્રચારની કમાન સંભાળશે.
જયારે છત્તીસગઢ વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના વરીષ્ઠ નેતા અમિત શાહ અનેક કાર્યક્રમમાં હાજરી આપી પ્રચાર કરશે.
અમિત શાહ જશપુર વિધાનસભામાં ચુટંણી સભાને સંબોધન કરી રથ સભામાં ભાગ લશે અને તેઓ પાથલગામ વિધાનસભામાં પણ હાજરી આપશે. અન્ય વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી સભાઓ ગજવ્યા બાદ રાયગઢમાં રોડ શો કરશે.
જ્યારે પ્રિયંકાં ગાંધી મધ્યપ્રદેશના ચિત્રકુટ અને રીવામાં ચુંટણી પ્રચાર કરશે, તો રાહુલ ગાંધીએ અશોક નગરમાં જનસભા યોજી હતી.
