રક્ષામંત્રી રાજનાથ સિંહે પૂર્વિય લદ્દાખમાં 1400 ફુટના કર્નલ ચેવાંગ રિનચેન બ્રિજનું ઉદ્ધાટન કર્યુ
Live TV
-
ભારત-ચીન સીમા નજીક બનેલો આ પૂલ આ વિસ્તારના લોકો માટે ખુબજ ફાયદાકારક થશે
સોમવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પૂર્વિય લદ્દાખમાં શ્યોક નદી પર 1400 ફુટના કર્નલ ચેવાંગ રિનચેન બ્રિજનું ઉદ્ધાટન કર્યુ હતું. આ પૂલનું નિર્માણ સીમા સુરક્ષા સંગઠને કર્યુ છે.આ પુલના નિર્માણથી પ્રતિકૂળ વાતાવરણમાં પણ સંપર્ક જળવાઈ રહેશે. ભારત-ચીન સીમા નજીક બનેલો આ પૂલ આ વિસ્તારના લોકો માટે ખુબજ ફાયદાકારક થશે. આ પ્રસંગે બોલતા રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે, આ વિસ્તારમાં વિકાસની ગતિને વધુ વેગ મળશે અને પર્યટન ઉદ્યોગને પણ વેગ મળશે.
