રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારત દેશ હવે વધુ મજબૂત બનીને આગળ વધી રહ્યો છે
Live TV
-
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ભારત હવે નબળું નથી રહ્યું અને આ દેશ હવે મજબૂત બન્યો છે.
કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીની વાસ્તવિક નિયંત્રણ રેખા અંગેની ટિપ્પણી સાથે સખત અસહમતિ વ્યક્ત કરતા, તેમણે લોકસભામાં કહ્યું કે ભારત પાસે હવે યોગ્ય જવાબ આપવાની ક્ષમતા અને શક્તિ છે. અધિરંજન ચૌધરીની ટીપ્પણીની નિંદા કરતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે સંસદના મંચ પર દેશની છબીને કલંકિત ન થવા દેવી જોઈએ.
