રાંચી ટેસ્ટ જોવા માટે જવાનોને 5000 ફ્રી ટિકિટ
Live TV
-
ઝારખંડ ટેસ્ટ ક્રિકેટ એસોસિએશને જાહેરાત કરી છે કે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી ત્રીજી ટેસ્ટ મેચ માટે પાંચ હજાર રુપિયાની ફ્રી ટિકિટ સેના અને સીઆરપીએફના જવાનોને આપવામાં આવશે.
સીરીઝની ત્રીજી મેચ રાંચીના જેએસસીએ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં શનિવારથી શરુ થશે. ભારત સીરિઝમાં પહેલા જ 2-0થી આગળ છે. જેએસસીએ અનુસાર આશરે 5 હજાર ટિકિટ સીઆરપીએફના જવાનો, આર્મીના લોકો અને એનસીસી કેડેટ્સ માટે અલગ રાખવામાં આવ્યાં છે. જેએસસીએએ કહ્યું છે કે દેશની સેવા કરનાર લોકોને જેએસસીએ તરફથી આ નાનું ટ્રિબ્યૂટ છે.
