રાજયસભામાં વિદેશી અંશદાન વિનિયમન વિધેયક-2020 બિલ પાસ
Live TV
-
રાજ્યસભામાં આજે વિદેશી અંશદાન વિનિયમન વિધેયક-2020 અહર્ત નાણાકીય સંવિદા દ્વિપક્ષીય નેટિંગ વિધેયક-2020 તેમ જ એપ્રોપ્રિએશન નંબર ત્રણ અને ચાર વિધેયક-2020 ચર્ચાસહ પસાર કરવા સુચિ બદ્ધ છે.
રાજ્યસભામાં આજે વિદેશી અંશદાન વિનિયમન વિધેયક-2020 અહર્ત નાણાકીય સંવિદા દ્વિપક્ષીય નેટિંગ વિધેયક-2020 તેમ જ એપ્રોપ્રિએશન નંબર ત્રણ અને ચાર વિધેયક-2020 ચર્ચાસહ પસાર કરવા સુચિ બદ્ધ છે. આ પહેલાં ગઇકાલે રાજ્યસભામાં સુચિબદ્ધ નવ માંથી સાત વિધેયક પસાર થયા હતા. તેમાં સૌથી મહત્વના આવશ્યક વસ્તુ સુધારા વિધેયક-2020 નો સમાવેશ થાય છે. આ વિધેયક પસાર થતાં અનાજ, ખાદ્યતેલ, ડુંગળી, બટાટા વગેરે આવશ્યક વસ્તુની યાદીમાંથી બહાર થઇ જશે. લોકસભામાં આ વિધેયક પહેલાં પસાર થઇ ચુક્યું છે. આ વિધેયકની મદદથી ખેડૂતોને સ્ટોરેજ અને તકનીકી સુવિધાઓનો લાભ મળશે. સ્ટોરેજની મર્યાદા સમાપ્ત કરતું આ વિધેયક લોકલ ફોર વોકલ પણ પ્રમોટ કરશે.
