રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જીત્યો વિશ્વાસ મત
Live TV
-
સંસદીય કાર્યમંત્રી શાંતિ ધારીવાલે સરકાર તરફથી વિશ્વાસ પ્રસ્તાવ કર્યો રજૂ, વિધાનસભા 21 ઓગસ્ટ સુધી કરાઈ સ્થગિત
રાજસ્થાનમાં શુક્રવારથી વિધાનસભાનું વિશેષ સત્ર શરૂ થઈ ગયું છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત, પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, કોંગ્રેસ ધારાસભ્ય સચિન પાયલટ સહિત તમામ ધારાસભ્યો આ સત્રમાં સામેલ થયા હતા. સંસદીય કાર્યમંત્રી શાંતિ ધારીવાલે સરકાર તરફથી વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ગેહલોત સરકારે વિશ્વાસ મત જીતી લીધો છે. વિધાનસભાના અધ્યક્ષ ડોક્ટર સી. પી. જોષીએ પ્રસ્તાવ સ્વીકાર કરતાં ચર્ચાને મંજૂરી આપી હતી. ચર્ચા દરમિયાન વિપક્ષે અનેક પ્રકારના મુદ્દા ઉઠાવ્યા હતા. જેમાં કાયદો અને વ્યવસ્થાને લઈને પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. હાલ વિધાનસભા 21 ઓગસ્ટ સુધી સ્થગિત કરવામાં આવી છે.
