રાષ્ટ્રપતિ, ગૃહમંત્રીએ વિજયા દશમીની દેશવાસીઓને પાઠવી શુભેચ્છા
Live TV
-
ગૃહમંત્રી રાજનાથસિંહ બિકાનેરમાં શસ્ત્રપૂજન
દેશભરમાં વિજયા દશમી અર્થાત દશેરાના પર્વની ઉલ્લાસપૂર્વક ઉજવણી થઈ રહી છે. ભગવાન રામના રાવણ પરના વિજયના ઉપલક્ષ્યમાં આ તહેવાર મનાવવામાં આવે છે. નવરાત્રિ અને દુર્ગાપૂજાની નવ દિવસીય ઉજવણીની આ સાથે સમાપ્તિ થશે. રાવણ પરના રામના વિજયની યાદમાં દશેરા પ્રસંગે લંકાપતિ રાવણ, ભાઈ કુંભકર્ણ અને પુત્ર મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવે છે. દિલ્હીમાં પણ વિવિધ સ્થળે પૂતળા દહન કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ દુર્ગાપૂજા અને દશેરા પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ બિકારનેરમાં ભારત - પાક સરહદે તૈનાત બી.એસ.એફ.ના જવાનો સાથે દશેરા પર્વ મનાવીને શસ્ત્રપૂજન કરશે. રાજનાથસિંહે આ હેતુસર ગઈકાલે બિકાનેર પહોંચીને બી.એસ.એફ. જવાનોના કુટુંબીજનો સાથે મુલાકાત પણ કરી હતી
