રાષ્ટ્રીય આપદા પ્રબંધન સત્તામંડળની છઠ્ઠી બેઠકમાં PMએ કરી કામગીરીની સમીક્ષા
Live TV
-
બેઠકમાં ગૃહમંત્રી રાજનાથસિંહ, નાણાંમંત્રી અરૂણ જેટલી , કૃષિમંત્રી રાધામોહનસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય આપદા પ્રબંધન સત્તામંડળની છઠ્ઠી બેઠકમાં હાજરી આપીને સત્તામંડળના કામકાજની સમીક્ષા કરી હતી. બેઠકમાં ભાગ લેતાં પ્રધાનમંત્રીએ દેશમાં આવતી આપત્તિઓનો યોગ્ય રીતે સામનો કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, આપત્તિઓનો સામનો કરવા ઊભી થયેલી વિવિધ એજન્સીઓ વચ્ચે બહેતર સમન્વય સ્થાપવા સંયુક્ત ક્વાયતો થવી જોઈએ. આવી ક્વાયતોને પગલે આપત્તિના સંજોગોમાં જાનમાલની બહેતર સુરક્ષા થઈ શકશે. બેઠકમાં ગૃહમંત્રી રાજનાથસિંહ, નાણાંમંત્રી અરૂણ જેટલી , કૃષિમંત્રી રાધામોહનસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા
