રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લેહના સિંધુ ઘાટ ખાતે નાગરિક અભિનંદન સમારોહમાં હાજરી આપી
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લદ્દાખના બે દિવસીય પ્રવાસે છે. તેઓએ લેહમાં સિંધુ ઘાટ ખાતે નાગરિક અભિનંદન સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે સંબોધન કરતા જણાવ્યું હતું કે લેહ એ બૌદ્ધ ધર્મનું પ્રમુખ કેન્દ્ર છે. અહીંની પ્રાકૃતિક સુંદરતા સૌ કોઇને આકર્ષિત કરે છે. લદ્દાખમાં સ્વાસ્થ્ય અને વેલનેસ પર્યટનની અઢળક સંભાવના હોવાનું પણ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે દ્રૌપદી મુર્મુ આજે સિયાચીન બેસ કેમ્પની મુલાકાત લેશે અને સૈનિકો સાથે વાતચીત કરશે. ત્યારબાદ તેઓ સ્વયં સહાયતા સમુહના સભ્યો અને સ્થાનિક આદિવાસીઓ સાથે પણ વાતચીત કરશે. મહત્વનું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 31 ઓક્ટોબરે લદ્દાખના સ્થાપના દિવસ સમારોહમાં હાજર રહ્યા હતા.
