લોકસભા ચૂંટણી 2019: અંતિમ તબક્કા માટેનું પ્રચાર અભિયાન ચરમસીમા પર
Live TV
-
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળમાં બે રેલીઓને સંબોધશે, રાહુલ ગાંધી પંજાબમાં અભિયાન કરશે, જ્યારે મમતા બેનરજી કોલકતામાં રેલી કરશે.
ચૂંટણીઓ ચઝુંબેશ માટે માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા ત્યારે. તમામ રાજકીય પક્ષોએ મતદારોને આકર્ષિત કરવાના પ્રયત્નોમાં લાગી ગયા છે. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બિહારના પાલિજંજ અને ઝારખંડના દેવગઢમાં રેલી યોજશે. આ ઉપરાંત તેઓ બુધવારે પશ્ચિમ બંગાળના બશીરહાટ અને ડાયમંડ હાર્બરમાં જાહેર સભાઓને પણ સંબોધશે.
લોકસભાની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પંજાબમાં ફરિદકોટ અને લાધિંઘામાં જાહેર સભાઓને સંબોધશે.
કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરા, પાર્ટીના ઉમેદવાર અજય રાય માટે વારાણસીમાં એક રોડ શો યોજશે. સપા પ્રમુખ અખિલેશ યાદવ, બસપા પ્રમુખ માયાવતી અને આરએલડીના અધ્યક્ષ અજીત સિંહ ઉત્તર પ્રદેશના માઉ અને દેઓરિયામાં સંયુક્ત રેલી કરશે.
