શિયાળો શરૂ થવાની તૈયારી, દિલ્હી પ્રદૂષણ મામલે 50 ટીમો તૈયાર કરાઈ
Live TV
-
શિયાળાની ઋતુમાં દિલ્લી NCRમાં પ્રદૂષણની સ્થિતિ ગંભીર રહેતી હોય છે અને હવે શિયાળો શરૂ થવાની તૈયારી છે. ત્યારે પ્રદૂષણ નિયંત્રણમાં રહે માટે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રદૂષણ પર નજર રાખવા માટે 50 ટીમો તૈયાર કરાઈ છે.
આ ટીમોને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે આજે રવાના કરી હતી. પ્રદૂષણને લઈ પત્રકારોની સાથેની વાતચીતમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે પંજાબમાં પરાલી ઓછી સળગાવવામાં આવે તે અપેક્ષા છે. પરાલી સળગાવવાનું કામ આગામી 20 દિવસ સુધી ચાલશે.
4 ટકા પ્રદૂષણ પરાલીને કારણે થાય છે. જ્યારે બાકીનું 96 ટકા પ્રદૂષણ અન્ય કારણોથી થાય છે. જે ટીમો તૈયાર કરવામાં આવી છે તે તેની પાસે રિપોર્ટ આપવાનો અધિકાર છે. કેન્દ્રીય મંત્રીએ લોકોને વધારેમાં વધારે જાહેર પરિવહનનો ઉપયોગ કરવા આહવાન કર્યું હતું.
