શ્રી હરિકોટાના સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્ર ખાતેથી PSLV-C- 55 દ્વારા સિંગાપોરના બે ઉપગ્રહોનુ પ્રક્ષેપણ
Live TV
-
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન અર્થાત ઇસરો, દ્વારા આજે શ્રી હરિકોટાના સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્ર ખાતેથી, બપોરે 2 વાગે અને 19 મિનિટે, સિંગાપોરના Teleos-2 ઉપગ્રહનું, પ્રક્ષેપણ સફળ પ્રક્ષેપણ કર્યુ હતું.. ઇસરો લોન્ચિંગ માટે PSLV-C- 55નો ઉપયોગ કરાયો જે ઇસરોનું ખુબજ ભરોસાપાત્ર રોકેટ રહ્યું છે. Teleos-2, તે એક પૃથ્વી અવલોકન ધરાવતું ઉપગ્રહ છે જે 750 કીલો વજન ધરાવે છે. તેમાં Synthetic Aperture Radar ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. તે એક મીટરના Resolution સાથે ડેટા પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે. ઉપગ્રહને ફેબ્રુઆરીમાં સિંગાપુરથી ભારત લાવવામાં આવ્યો હતો. ઉપગ્રહ, વિવિધ એપ્લિકેશન માટે ઇમેજરી પ્રદાન કરશે. આ ઉપરાંત Aviation દુર્ઘટનાઓના કિસ્સામાં, શોધ અને બચાવ કામગીરી માટે પણ મદદરૂપ થશે.
