સીમાપારથી આતંકી ગતિવિધિઓ વધતા પાક. સામે રોષ
Live TV
-
વિદેશ મંત્રાલયે દિલ્હીમાં પાક.અધિકારીને બોલાવીને વિરોધનો પત્ર સોંપ્યો
ભારતે સીમાપારથી પાકિસ્તાની આતંકવાદીઓની ઘુસણખોરી દરમિયાન ભારતીય સૈનિક શહિદ થવાના બનાવ અંગે પાકિસ્તાન સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે. જમ્મુ-કાશ્મીરના સુંદરબની ક્ષેત્રમાં રવિવારે આ બનાવ બન્યો હતો. વિદેશ મંત્રાલયે નવી દિલ્હીના પાકિસ્તાની વરિષ્ઠ અધિકારીને બોલાવીને આ બનાવના વિરોધનો પત્ર સોંપ્યો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં ઉશ્કેરણી વગરના સંઘર્ષ વિરામ ઉલ્લંઘનની 1500થી વધુ ઘટના બની છે, જેનો ભારતીય ફોજે કડક જવાબ આપ્યો છે
