સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ગૃહ નિર્માણ લોનનાં વ્યાજ દરને ઘટાડીને 6.7 ટકા કર્યા
Live TV
-
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ગૃહ નિર્માણ લોનનાં વ્યાજ દરને ઘટાડીને 6.7 ટકા કર્યા છે. બેંકે આજે કરેલી જાહેરાત અનુસાર 75 લાખ સુધીની લોન માટે 6.7 અને 75 લાખથી વધુની લોન ઉપર 6.75 ટકા વ્યાજ લાગુ પડશે. વ્યાજ પરની આ છૂટછાટ લોનની રકમ અને ધિરાણ લેનારનાં સીબીલ સ્કોર પર આધારિત રહેશે. આ ઓફર સમગ્ર માર્ચ માસ દરમિયાન એટલે કે 31 માર્ચ સુધી ઉપલબ્ધ રહેશે અને આ સમયગાળામાં પ્રોસેસિંગ ફી પર માફી પણ આપવામાં આવી છે. આ ઉપરાંત ગ્રાહકો યોનો એપ્લિકેશન દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. તેમને 5 બેઝીસ પોઈન્ટની વધારાની વ્યાજની છૂટ આપવામાં આવશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ લોન લેનાર મહિલાઓને વધારાનાં 5 બેઝીસ પોઈન્ટની છૂટ આપવામાં આવી રહી છે.
