સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને કર્યું સંબોધન
Live TV
-
કોરોનાકાળ દરમિયાન વિશ્વની પડખે ઉભું રહ્યું ભારત, સરકારના પ્રયાસ અને જન સહયોગથી કોરોનાની લડાઈ બની અસરકારક: રાષ્ટ્રપતિ
74માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે સાંજે રાષ્ટ્રજોગ સંદેશો આપ્યો હતો. રાષ્ટ્રજોગ સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારતની આત્મનિર્ભરતાનો અર્થ પોતે સક્ષમ થવું તેવો છે. વિશ્વથી અંતર બનાવવાનો નથી. એટલે કે ભારત વૈશ્વિક અર્થતંત્રમાં સામેલ પણ રહેશે અને આત્મનિર્ભર પણ બનશે. આ સાથે તેમણે કહ્યું કે, આપણે આપણી શક્તિથી અન્ય દેશો તરફ મદદનો હાથ લંબાવ્યો છે. આપણી પાસે ખાસ કરીને બૌદ્ધિક, આધ્યાત્મિક અને વિશ્વ-શાંતિના ક્ષેત્રમાં વૈશ્વિક સમુદાયને આપવા માટે ઘણુંબધુ છે.
રાષ્ટ્રજોગ સંબોધનમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, દેશ આજે તમામ ડૉક્ટરો, નર્સો તથા અન્ય સ્વાસ્થ્ય કર્મીઓનો ઋણી છે. જે આ કોરોના મહામારી સામેની લડાઈમાં ફ્રન્ટલાઈન યોદ્ધા રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે, આ કોરોના યોદ્ધાની જેટલી પણ પ્રશંસા કરવામાં આવે એટલી ઓછી છે.
