90થી વધુ દેશોના દૂતાવાસે કર્યા સુવર્ણ મંદિરના દર્શન
Live TV
-
ગુરૂનાનક દેવના 550માં પ્રકાશ પર્વને લઈને સમગ્ર દેશમાં વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત 90થી વધુ દેશોના દૂતાવાસના પ્રમુખો આજે સુવર્ણ મંદિરમાં આયોજીત કાર્યક્રમમાં ભાગ લીધો.
ગુરૂનાનક દેવના 550માં પ્રકાશ પર્વ પર વિશેષરૂપે ઉજવવા માટેના કેબિનેટના નિર્ણય બાદ ભારતીય સાંસ્કૃતિક પરિષદે દેશમાં સ્થિત 90થી વધુ દેશોના દૂતાવાસના પ્રમુખોને અમૃતસર સ્થિત સુવર્ણ મંદિરની યાત્રા કરવા માટે આમંત્રિત કર્યા છે. ગુરૂનાનક દેવના 550માં પ્રકાશ પર્વને લઈને સમગ્ર દેશમાં વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત 90થી વધુ દેશોના દૂતાવાસના પ્રમુખો આજે સુવર્ણ મંદિરમાં આયોજીત કાર્યક્રમમાં ભાગ લીધો. આ કાર્યક્રમનું આયોજન આઈ.સી.સી.આર., પંજાબ સરકાર તેમજ શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર તરફથી શહેરી વિકાસ મંત્રી હરદીપસિંહ પુરી આ દરમિયાન વિદેશી મિશનના પ્રતિનિધિઓ સાથે ઉપસ્થિત રહેશે.
