J&K: પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી પર PSA એક્ટ હેઠળ કેસ દાખલ
Live TV
-
નેશનલ કોન્ફરન્સના મહામંત્રી, અલી મોહમ્મદ સાગર અને પીડીપીના વરિષ્ઠ નેતા સરતાજ મડની પર પણ જાહેર સલામતી અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
કાશ્મીરના વહીવટીતંત્રે પૂર્વ મુખ્યમંત્રીઓ ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી વિરુદ્ધ જાહેર સલામતી અધિનિયમ હેઠળ કેસ દાખલ કર્યો છે. ગઈકાલે સાંજે બંને નેતાઓને આ આદેશ આપવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે અબ્દુલ્લા અને મુફ્તી ઉપરાંત નેશનલ કોન્ફરન્સના મહામંત્રી, અલી મોહમ્મદ સાગર અને પીડીપીના વરિષ્ઠ નેતા સરતાજ મડની પર પણ જાહેર સલામતી અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે બંધારણની કલમ 370 રદ કરવાનો અને જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરવાનો નિર્ણય લીધા પછી આ તમામ રાજનેતાઓને 5 ઓગસ્ટ, 2019 ના રોજ નિવારક કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
